ચદ્રબાબુએ ચોથી વખત સીએમ તરીકેના શપથ ગ્રહણ કર્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રબાબુ નાયડુને સ્ટેજ પર ભેટી પડ્યા, શપથગ્રહણ સમારંભમાં અમિત શાહ, ચિરંજીવી, રજનીકાંત ઉપસ્થિત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12062024_062915_222.webp)
- 12 Jun, 2024
તેલગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના પ્રમુખ ચદ્રબાબુ નાયડુએ કેસરપલ્લી શહેરના આઈટી પાર્ક મેદાનમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. શપથ ગ્રહણ દરમિયાન હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. તેઓ સ્ટેજ પર ચદ્રબાબુ નાયડુને ભેટ પડ્યા હતા. બીજી તરફ સાંજે ઓડિશાના ભુવનેશ્વર શહેરના જનતા મેદાનમાં મોહન ચરણ માઝી ઓડિશાનાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ટીડીપીએ આ વખતે આંધપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 135 સીટો જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મુખ્યમંત્રીનું નામ રિઝલ્ટ પછીથી નક્કી જ હતું એવું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ ઓડિશાની વાત કરીએ તો બીજેપીએ અહીં 147માંથી 78 સીટો જીતી લીધી છે. પાર્ટીએ એક દિવસ પહેલા જ મોહન માઝીને વિધાયક દળના નેતા તરીકે ચૂંટ્યા છે. જે આજે સીએમ પદના શપથ લેવાના છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ચદ્રબાબુ નાયડુના શપથગ્રહણમાં હાજર રહ્યાં છે. જ્યારે સાંજે તેઓ ઓડિશાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં હાજર રહેશે.
આંધ્રપ્રદેશમાં આજે તેલગુ દેશમ પાર્ટીના નેતૃત્વમાં એનડીએની સરકારનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો છે. ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે ચોથા કાર્યકાળ માટે શપથ લીધા છે. તેમની સાથે શપથ લેનારા 24 નેતાઓના નામ પણ અગાઉથી ફાઈનલ થઈ ગયા હતા. ચદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ અને જનસેના પ્રમુખ પવન કલ્યાણે પણ શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે આ શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના ઘણા નેતાઓ હાજર રહ્યાં છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ચદ્રબાબુ નાયડુ તિરુપતિના તિરુમાલાના દર્શન માટે જઈ શકે છે. એમ કહેવાઈ રહ્યું છે કે બુધવારે એટલે કે આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી ચદ્રબાબુ નાયડુ પોતાના પરિવારની સાથે ગુરુવારે તિરુમાલામાં શ્રીવારીના દર્શન કરી શકે છે.
આંધ્રપ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીએ 175 સીટોમાંથી 135 સીટો જીતી છે. જ્યારે બીજેપીએ 10માંથી 8 સીટ જીતી છે. આ સિવાય વાઈએસઆરપીએ 11 સીટો જીતી છે. ઓડિશામાં બીજેપીએ બીજૂ જનતા દળને હરાવીને પટનાયકના 24 વર્ષના શાસનને ખત્મ કરી દીધું છે. તેણે 175 સીટો વાળી રાજ્ય વિધાનસભામાં 78 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. બીજેડીએ 51 સીટો પ્રાપ્ત કરી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 14 સીટો જીતી છે. નવીન પટનાયકે માર્ચ 2000માં મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. તે પછીથી તેમણે તમામ પાંચ વિધાનસભા ચૂંટણીઓમાં જીત પ્રાપ્ત કરી અને મુખ્યમંત્રી રહ્યાં છે.